LJPના 'બળવાખોરો' પર ચિરાગ પાસવાનની કાર્યવાહી, કાકા-ભાઇ સહિત પાંચ સાંસદોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

Update: 2021-06-15 13:38 GMT

એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાને પાર્ટીના તમામ બળવાખોર સાંસદોને એલજેપીમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ પશુપતિ પારસ, રાજકુમાર રાજ, વીણા દેવી, મહેબૂબ અલી કૈસર અને ચંદન સિંહને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પક્ષના સક્રિય સભ્યપદથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય પછી તે પાર્ટીમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાનો હકદાર રહેશે નહીં.

એલજેપીમાં ઉથલપાથલ બાદ દરેક વિચારતા હતા કે હવે ચિરાગ પાસવાનનું શું થશે? ચિરાગ હવે પછી શું નિર્ણય કરશે? ખાસ કરીને એલજેપીના સાંસદ પશુપતિ પારસના ઘરની બહારથી જે તસવીરો બહાર આવી છે, તેનાથી આ પ્રશ્ન વધુ મહત્વનો બની ગયો છે. જો કે કાકા સહીત અન્ય સાંસદોના બળવોથી નારાજ ચિરાગે દરેકની સામે કાર્યવાહી કરી છે.

જોકે, બળવાની રમતની વચ્ચે ચિરાગ પાસવાને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાંચ બળવાખોર એલજેપી સાંસદોને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એલજેપીમાં ભંગાણના સમાચારની વચ્ચે ચિરાગ ગઈકાલથી સતત તેના કાકા પશુપતિ પારસના ઘરે ફરતો હતો, પરંતુ કાકા તેને મળવા તૈયાર નહોતા. આવી સ્થિતિમાં પોતાની સત્તાનો ઉપયોગ કરીને ચિરાગે રાષ્ટ્રીય કારોબારી સાથે બેઠક યોજીને આ નિર્ણય લીધો છે.

Tags:    

Similar News