દાહોદ : ખેતરમાં ઘઉં કાઢતી વેળા થ્રેશર મશીનમાં આવી જતાં ખેડૂતનું કમકમાટીભર્યું મોત...

તાલુકાના કતવારા ગામે ખેતરમાં થ્રેશર મશીનથી ઘઉં કાઢવા આવેલ ખેડૂતનું થ્રેશર મશીનમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

Update: 2023-02-28 11:18 GMT

દાહોદ તાલુકાના કતવારા ગામે ખેતરમાં થ્રેશર મશીનથી ઘઉં કાઢવા આવેલ ખેડૂતનું થ્રેશર મશીનમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

Full View

મળતી માહિતી અનુસાર, દાહોદ તાલુકાના લીલર ગામના રહેવાસી 60 વર્ષીય જેતા હઠીલા થ્રેશર મશીન સાથે જોડેલું ટ્રેક્ટર લઈ કતવારા ખાતે રાણાપુર રોડ પર આવેલા ખેતરમાં ઘઉં કાઢવા માટે ગયા હતા, જ્યાં ઘઉં કાઢતી વખતે ચાલુ થ્રેશર મશીનમાં કચરો સાફ કરવા જતા જેતા હઠીલાનો હાથ થ્રેશર મશીનમાં આવી જતા પલકવારમાં જ તેઓ થ્રેશર મશીનમાં ભીડવાય ગયા હતા, આ બનાવમાં જેતા હઠીલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ આસપાસના સ્થાનિકોને ટોળે વળ્યાં હતા, ત્યારે આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. કતવારા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી થ્રેશર મશીનમાં ફસાયેલા દેતા હઠીલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. તે સમયે ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોના હૈયા ફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. કતવારા પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News