જુનાગઢ : આજથી શારદીય નવરાત્રિનો ધૂમધામથી પ્રારંભ, માં અંબાના શિખરે ઘટ્ટ સ્થાપન કરી કર્યો નવરાત્રિનો પ્રારંભ......

Update: 2023-10-15 07:15 GMT

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં આવેલા ગરબા ગિરનાર પર બિરાજમાન માં અંબાના શિખર પર ઘટ્ટસ્થાપન સાથે સમગ્ર જુનાગઢ શહેરમાં નવરાત્રીનો પ્રારંભ થતાં સમગ્ર શહેર જગતજનનીની ભક્તિમાં તરબોળ બન્યું છે.

આજથી શારદીય આસો નવરાત્રીનો જુનાગઢ શહેરમાં ધામધૂમ પૂર્વક પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢના અતિ પ્રાચીન એવા આશરે 800 વર્ષ પુરાણા વાઘેશ્વરી મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી જેમાં વહેલી સવારે માતાજીની આરતી સાથે નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તો બીજી તરફ ગરવા ગિરનાર પર બિરાજમાન જગતજનની માં અંબાના શિખરે પણ ઘટ્ટસ્થાપન સાથે સમગ્ર જુનાગઢ શહેરમાં નવરાત્રીનો પ્રારંભ થતાં સમગ્ર જૂનાગઢ શહેર જગતજનનીની ભક્તિમાં તરબોળ બન્યું છે અને આ મંદિરે આઠમા નોરતે યજ્ઞ સથે ઉત્સવ અને પૂર્ણાહુતિ તરફ લઈ જવાશે ત્યારે માં ભગવતી દરેકની મનોકામના પૂર્ણ કરે તેવી ગુજરાતી પરિવાર અને સૌ ભક્તજનો દ્વારા આજરોજ માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

Tags:    

Similar News