જૂનાગઢ: ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયુ, મોટી સંખ્યામાં લોકો જોડાયા

જૂનાગઢમાં ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Update: 2024-05-04 06:21 GMT

જૂનાગઢમાં ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

જુનાગઢ ખાતે ક્ષત્રીય સમાજનુ અસ્મિતા મહાસંમેલન યોજાયુ હતું.સંમેલનમાં રાષ્ટ્રીય કરણીસેના જુનાગઢ જીલ્લા પ્રમુખ ધરમેન્દ્રસિંહ વાઘેલા,સાવરકુંડલાના ક્ષત્રિય આગેવાન પ્રતાપભાઇ ખુમાણ,, રામકુભાઇ કરપડા,અનિરુધ્ધસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.સંમેલનમાં દરેક વક્તાએ પુરુષોતમ રૂપાલાના વિવાદિત નિવેદનની ટીકા કરી હતી.ઉપરાંત ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ્દ ન કરાઈ તે બાબતની નિંદા કરી હતી..ઉપરાંત ક્ષત્રિયોની લડત યથાવત રહેશે તે બાબતનું પણ આહવાન કરાયું હતું.ભાજપ દ્વારા ગમે તેવા ડેમેજ કંટ્રોલ કરાય પરંતુ આપણે તેની વાતોમાં ભરમાઈ ન જવાની વાત પણ જણાવવામાં આવી હતી.સંમેલનમાં જય ભવાનીના નારા પણ લગાવાયા હતા.

Tags:    

Similar News