નર્મદા: કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરની ઉપસ્થિતિમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણી

મધમાખી ઉત્પાદનને વધુ વેગ આપવા માટે 500 કરોડની જોગવાઈ આ વખતના બજેટમાં કરી છે અને હજુ પણ વધુ જોગવાઈ કરવામાં આવશે

Update: 2022-05-20 12:25 GMT

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે વિશ્વમધમાખી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર ઉપસ્થિત રહ્યા હતા નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આજે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કેન્દ્રિય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કૃષિ મંત્રીએ જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારે મધમાખી ઉત્પાદનને વધુ વેગ આપવા માટે 500 કરોડની જોગવાઈ આ વખતના બજેટમાં કરી છે અને હજુ પણ વધુ જોગવાઈ કરવામાં આવશે. ભારત સરકાર ખેડૂતોની આવક વધે એ માટે પ્રયાસ કરી રહી છે અને આવનારા દિવસોમાં અનેક નવી યોજના લાવવામાં આવી રહી છે.

Tags:    

Similar News