નવસારી : ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ ભર્યા નામાંકન પત્ર...

નવસારી લોકસભા બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ નામાંકન ભર્યું હતું.

Update: 2024-04-19 12:29 GMT

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ નામાંકન ભર્યું હતું.

નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિજય મુહૂર્તમાં ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈ ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી. રેલીમાં હજારો લોકો ઊમટી પડ્યા હતા. 

નવસારી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારોની કલેકટર કચેરી ખાતે મુલાકાત થઈ હતી. આ સમયે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ પાટીલની નજીક જઈ કંઈક કહ્યું હતું, જે સાંભળી પાટીલ હસ્યા હતા, અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા. ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ જણાવ્યુ હતું કે, મેં સી.આર.પાટીલને શુભેચ્છા પાઠવી હતી, ત્યારબાદ સી.આર.પાટીલે પણ મને શુભેચ્છા પાઠવી હતી. નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઇ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા આવ્યા, ત્યારે ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા. માથે ટાલ કરાવી હાથમાં ગાંધીજીની જેમ લાકડી અને પગમાં ચપ્પલ પહેરીને તેઓ કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા.

Tags:    

Similar News