પંચમહાલ : પરિવારથી નારાજ થઈ ઘર છોડીને ભાગી ગયેલા અમદાવાદના 5 સગીરો પાવાગઢ નજીકથી મળી આવ્યા...

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી ગુમ થયેલા 5 સગીરો પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીકથી મળી આવ્યા હતા.

Update: 2023-09-01 09:33 GMT

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા 5 સગીરો પોતાના પરિવારથી નારાજ હતા, જેઓ ઘર છોડીને ભાગી જતાં પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીકથી પોલીસને મળી આવ્યા હતા.

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી ગુમ થયેલા 5 સગીરો પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીકથી મળી આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી આ સગીરો કોઈને કઈપણ કહ્યા વિના ઘરેથી ચાલ્યા ગયા હતા. આ વચ્ચે કેટલાક યુવકો બેગ લઈને ફરી રહ્યા હોવાનું અને નોકરી મેળવવા માટે લોકોને પૂછપરછ કરી રહ્યા હોવાની પાવાગઢ પોલીસને બાતમી મળી હતી, ત્યારે પાવાગઢ પોલીસ અને સી ટીમ દ્વારા તમામ સગીરોને જમાડવા સહિતની સરભરા કરી પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું હતું. ગુમ થયેલ 5 સગીરો વડોદરાથી પાવાગઢ આવી ગળતેશ્વર અને ત્યાંથી પરત પાવાગઢ આવ્યા હતા. તમામ સગીરો પોતાના પરિવારથી નારાજ હતા, જેથી તેઓ ઘરેથી નીકળી ગયા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યુ હતું.

Tags:    

Similar News