PM મોદી આજે વીડિયો કોન્ફરન્સ મારફતે અમૃત ભારત સ્ટેશન યોજનાનો કરશે પ્રારંભ, દેશભરના 508 સ્ટેશનોનું કરવામાં આવશે નવીનીકરણ

Update: 2023-08-06 03:35 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ મારફતે અમૃત ભારત સ્ટેશન યોજનાનો પ્રારંભ કરશે. આ યોજના હેઠળ એક સાથે દેશભરના 508 સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે. આ યોજના માટે સ્ટેશનો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને વિસ્તારના ધારાસભ્યો હાજર રહેશે. રેલવે અધિકારીઓ ન્યૂ ઈન્ડિયાના સપનાને સાકાર કરવા કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે. આ ભવ્ય કાર્યક્રમનું આ સ્ટેશનો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે રીતે લોકો વડાપ્રધાનના મનની વાત સાંભળે છે, તે જ રીતે સ્ટેશનો પર મોટી સ્ક્રીન લગાવીને લોકો રેલવેની સમગ્ર યોજનાથી વાકેફ થશે.

ઉત્તર રેલવેના જનરલ મેનેજર શોભન ચૌધરીના જણાવ્યા મુજબ, તે વિશ્વના સૌથી મોટા અને સૌથી વ્યસ્ત રેલવે નેટવર્કમાંનું એક છે, જે લાખો લોકો માટે પરિવહનનું મહત્વનું સાધન પ્રદાન કરે છે, જે દેશના હજારો શહેરો અને નગરોને જોડે છે. ભારતીય રેલ્વેના આધુનિકીકરણની પ્રક્રિયા છેલ્લા નવ વર્ષથી ચાલી રહી છે. આ અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને પેસેન્જર સુવિધાઓ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહત્વાકાંક્ષી યોજનામાં રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ, નવી રેલ્વે લાઇન પાથરવી, 100 ટકા વિદ્યુતીકરણ અને મુસાફરો અને સંપત્તિની સલામતી વધારવા જેવી પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી 508 સ્ટેશનોના નવીનીકરણ કાર્યોના પ્રારંભ સાથે સમગ્ર ભારતમાં 'અમૃત ભારત સ્ટેશન યોજના'નું ઉદ્ઘાટન કરશે, જેમાંથી 71 રેલવે સ્ટેશન ઉત્તર રેલવે ઝોનમાં છે.

Tags:    

Similar News