રાજકોટ : ધોરાજીના તોરણીયાના સુપ્રસિદ્ધ સેવાદાસ બાપા આશ્રમ નકલંક ધામના નામે લોકો સાથે ઓનલાઈન ફ્રોડ

રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણીયાના સુપ્રસિદ્ધ સેવાદાસ બાપાના હરિદ્વાર સ્થિત આશ્રમ નકલંક ધામના નામે છેતરપિંડી થયુ હોવાનું સામે આવ્યું છે.

Update: 2022-06-21 05:16 GMT

રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણીયાના સુપ્રસિદ્ધ સેવાદાસ બાપાના હરિદ્વાર સ્થિત આશ્રમ નકલંક ધામના નામે છેતરપિંડી થયુ હોવાનું સામે આવ્યું છે

મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણીયાના સુપ્રસિદ્ધ સેવાદાસ બાપાના હરિદ્વાર સ્થિત નકલંક ધામ આશ્રમના નામે ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.


અજાણ્યા ઇસમો દ્વારા વેબસાઈટ બનાવી અને શ્રદ્ધાળુઓ પાસે રૂમ બુકિંગના નામે કરવામાં આવી ઓનલાઇન છેતરપિંડી સેવાદાસ બાપા નામથી હરિદ્વારમાં ચાલે છે. આશ્રમમાં રૂમ બુક કરાવવા બાબતે અનેક શ્રદ્ધાળુઓ સાથે ઓનલાઇન ઠગાઇ થઇ હોવાનું આશ્રમના મહંત રાજેન્દ્ર દાસ બાપુએ જણાવ્યુ હતું. નિવેદનમાં તેમણે કહ્યું કે હરિદ્વાર સ્થિત નકલંક ધામ આશ્રમમાં કોઈ ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું નથી. બુકિંગના નામે કોઈ ઓનલાઈન વ્યવહાર ન કરવા મહંતે કરી અપીલ ઓનલાઇન ઠગાઈ કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ હરિદ્વાર પોલીસ ખાતે મહંત રાજેન્દ્ર દાસ બાપુએ ફરિયાદ નોંધાવી હતી. 

Tags:    

Similar News