માસુમનો શું વાંક ? સાબરકાંઠાના તલોદમાં તરછોડી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું

નવજાત બાળક મળી આવતા હડકંપ મચી ગયો છે.સાબરકાંઠાના તલોદમાંથી એક નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચી ગયો છે..

Update: 2021-11-23 10:31 GMT

ગુજરાતમાં તરછોડાયેલા બાળક મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હવે ફરી એકવાર નવજાત બાળક મળી આવતા હડકંપ મચી ગયો છે.સાબરકાંઠાના તલોદમાંથી એક નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચી ગયો છે..આ બાળકોને કોણ રસ્તે રઝળતા મુકી ગયું તેને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે.તલોદમાં રોડની સાઈડમાં નવજાત ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું જેને લઈને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ તો બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.પોલીસ દ્વારા બાળકના માતા પિતાને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બાળકને કોઈએ અપહરણ કરીને રોડ પર ત્યજી દીધુ કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગાંધીનગરના પેથાપુરમાં બાળક ત્યજી દેવાની ઘટના સામે આવી જેમાં ઘટનાનો પર્દાફાશ થતા બાળકની માતાની હત્યા બાદ બાળકને ત્યજી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.  

Tags:    

Similar News