દિવાળીના તહેવાર નિમિત્તે એસટી વિભાગ 2500થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે, 21 સપ્ટેમ્બરથી એડવાન્સ બુકીંગ કરવામાં આવ્યું શરૂ

Update: 2023-09-22 04:14 GMT

સુરતમાં દિવાળીના તહેવાર નીમિતે એસટી વિભાગ 2500થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે. દિવાળી વેકેશનને લઈને 21, સપ્ટેમ્બરથી જ એડવાન્સ બુકીંગની શરૂઆત કરવામાં આવી હતી. સુરતમાં સમગ્ર દેશના લોકો વસે છે અને દિવાળી સમયે પોત પોતાના વતન જતા હોય છે ત્યારે તેમને હાલાકી ન પડે તે માટે એસટી વિભાગે આ નિર્ણય કર્યો હતો.

નોંધનીય છે કે સુરતથી જ દર વર્ષની જેમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત માટે ખાસ બસો ઉપડશે. આ એકસ્ટ્રા બસ 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી દોડાવવામાં આવશે. બુકિંગ ઓનલાઈન તેમજ ઓફલાઈન થઈ શકશે તેના માટે અલગ અલગ સેન્ટર પર વ્યવસ્થા કરવામાં આવી છે. એકસ્ટ્રા બસ માટે ત્રણ પ્રકારે બુકીંગ કરી શકાશે

એકસ્ટ્રા બસ માટે ઓનલાઈન બુકીંગ કરી શકાશે. કરન્ટ બુકીંગ એટલે મુસાફર આવે અને જેમાં જગ્યા હોય તેમાં સીટ ફાળવવામાં આવશે. ગ્રુપ બુકીંગ એટલે કે જો 50થી વધુ મુસાફરો હોય તો રહેણાક વિસ્તારથી ખાસ બસની સુવિધા આપવામાં આવશે.

Tags:    

Similar News