સુરેન્દ્રનગર : મતદાન ચેતના અભિયાન અંતર્ગત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાય.!

Update: 2023-08-24 08:33 GMT

આગામી તા. 25 ઓગષ્ટથી શરૂ થતા મતદાન ચેતના અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા નવા મતદાતાઓની નોંધણી તેમજ જે મતદાતા મૃત્યુ પામ્યા હોય તેવા મતદાતાના ચૂંટણી કાર્ડમાંથી નામ કમી કરવા અને 18 વર્ષથી ઉપરની વયના લોકોના નવા ચૂંટણી કાર્ડ કાઢી આપવા અને નોંધણી કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ મતદાર સુધારણા કાર્યક્રમને વેગ આપવા માટે આગામી તા. 25 ઓગષ્ટથી 30 ઓગષ્ટ સુધી કેન્દ્ર સરકારની સૂચના અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન ચેતના અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ચેતના અભિયાન અંતર્ગત ભાજપના ધારાસભ્યો, કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરે ઘરે જઈને નવા ચૂંટણી કાર્ડ કાઢી આપવા, ચૂંટણી કાર્ડમાંથી નામ કમી કરાવી આપવા, સરનામા તેમજ અન્ય ચૂંટણી કાર્ડના ફેરફાર હોય તો તેમાં સુધારા-વધારા કરાવી આપવાની કામગીરીનો પ્રારંભ કરવાના છે, ત્યારે આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News