સવારે ખાલી પેટે ક્યારેય ન ખાવી જોઈએ આ 4 ફૂડ આઈટમ, આખા દિવસ પર પડશે ખરાબ અસર.....

સવારનો નાશ્તો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ કારણોસર વડીલ હંમેશા સવારે આરોગ્યપ્રદ નાશ્તો કરવાની સલાહ આપે છે.

Update: 2023-11-12 10:45 GMT

સવારનો નાશ્તો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ કારણોસર વડીલ હંમેશા સવારે આરોગ્યપ્રદ નાશ્તો કરવાની સલાહ આપે છે. સવારનો નાશ્તો હેલ્ધી હોય તો પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને આખો દિવસ એનર્જેટીક ફીલ થાય છે. ભૂખ્યા પેટે કંઈપણ ખાવાને કારણે તરત જ ભૂખ લાગી શકે છે, જેના કારણે તમારા દાંત પર પણ અસર પડે છે. સવારે નાશ્તામાં ફાઈબરથી ભરપૂર આહારનું સેવન કરવું જોઈએ. સવારના નાશ્તામાં આ 4 ફૂડનું બિલ્કુલ પણ સેવન ના કરવું જોઈએ.

1. ઓઈલી ફૂડ

તળેલા ઈંડા, બેકન તથા હૈશ બ્રાઉનમાં ચીકાશને કારણે શરીરમાં સુસ્તી આવી શકે છે. તળા ખાદ્ય પદાર્થ પાચનતંત્ર માટે અયોગ્ય છે. હાઈ કેલરીયુક્ત ભોજન કરવાથી આખા દિવસ દરમિયાન ભરપૂર એનર્જી રહે છે.

2. પેસ્ટ્રી અને ડોનટ્સ

સવારે નાશ્તામાં પેસ્ટ્રી અને ડોનટ્સનું સેવન ના કરવું જોઈએ. અનહેલ્ધી ફેટથી ભરપૂર ભોજન કરવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે. તેની જગ્યાએ મોટા અનાજથી બનેલ નાશ્તાનું સેવન કરવું જોઈએ.

3. પ્રોસેસ્ડ મીટ

સોસેજ અને બેકન જેવી ફેટથી ભરપૂર માંસમાં સોડિયમ, અનહેલ્ધી ફેટ અને સેચ્યુરેશનની માત્રા વધુ હોય છે. દરરોજ આ માંસનું સેવન કરવાથી હ્રદય રોગનું જોખમ રહે છે. ટર્કી અથવા ચિકન બ્રેસ્ટ જેવા ઓછું પ્રોટીન હોય તેવા માંસનુ સેવન કરવું જોઈએ.

4. શરબત

ફ્રટ જ્યૂસ, એનર્જેટીક ડ્રિંક અને મીઠા શરબતમાં ખાંડની માત્રા વધી હોય છે. આ ફૂડનું સેવન કરવાથી એનર્જેટીક ફીલ થશે, પરંતુ કેલરીની માત્રા વધી શકે છે. આ કારણોસર સવારે હર્બલ ચા અથવા ખાંડ વગરના પીણાનું સેવન કરવું જોઈએ. 

Tags:    

Similar News