અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિની સુરક્ષામાં મોટો ફેરફાર, SSFના જવાનો સુરક્ષાની જવાબદારી સંભાળશે
અભિષેક પહેલા અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિની સુરક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મંદિર અને રામલલાની સુરક્ષા વિશેષ સુરક્ષા દળ (SSF)ના હાથમાં રહેશે. યોગી સરકારે હાલમાં જ એક વિશેષ દળની રચના કરી છે. તેના સૈનિકો અયોધ્યા પહોંચી ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા SSFની આઠ કંપનીઓ રામજન્મભૂમિની સુરક્ષાની જવાબદારી સંભાળશે. હાલમાં તેના 80 સૈનિકો આવી ગયા છે.
અયોધ્યામાં રામજન્મભૂમિ સુરક્ષાની કમાન SSFના હાથમાં રહેશે, જે યુપી સરકાર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવી છે. યુપી પોલીસ અને પીએસીના શ્રેષ્ઠ કર્મચારીઓને પસંદ કરીને આ ફોર્સની રચના કરવામાં આવી છે જેમને વિશેષ સુરક્ષા માટે તાલીમ આપવામાં આવી છે. સુરક્ષાની જવાબદારી સંભાળવા માટે SSF બટાલિયન અયોધ્યા પહોંચી ગઈ છે. જોકે હાલ એમની એક અઠવાડિયાની સ્પેશ્યલ ટ્રેનિંગ થશે.