દિલ્હીમાં આજે કોરોનાના 393 નવા કેસ નોધાયા, 709 લોકોએ કોરોનાને આપી મ્હાત

સમગ્ર દેશની સાથે રાજધાની દિલ્હીમાં પણ કોરોના કેસ ઘટી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 393 નવા કેસ અને બે સંક્રમિતોના મોત થયા છે.

Update: 2022-05-17 15:49 GMT

સમગ્ર દેશની સાથે રાજધાની દિલ્હીમાં પણ કોરોના કેસ ઘટી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 393 નવા કેસ અને બે સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 709 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ રાજ્યમાં 2910 એક્ટિવ કેસ છે.

ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં મોટો ઘટાડો થયો છે. આજે 1569 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.44 ટકા છે. સોમવારે 2202 નવા કેસ અને 27 મોત નોંધાયા હતા. રવિવારે 2487 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2858 નવા કેસ નોંધાયા અને 11 લોકોના મોત થયા હતા.

Tags:    

Similar News