ત્રિપુરાના પૂર્વ CM અને ભાજપના રાજ્યસભા સાંસદ બિપ્લબ કુમાર દેબના પૈતૃક ઘરની બહાર મોડી રાત્રે અજાણ્યા ટોળાએ કર્યો હુમલો

Update: 2023-01-04 04:49 GMT

ત્રિપુરાના ગોમતી જિલ્લાના ઉદયપુર ખાતે ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાજ્યસભા સાંસદ બિપ્લબ કુમાર દેબના પૈતૃક ઘરની બહાર મંગળવારે મોડી રાત્રે અજાણ્યા ટોળાએ હુમલો કર્યો હતો. ટોળાએ પૂજારીઓને પણ નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ આ દરમિયાન વાહનોમાં તોડફોડ પણ કરી હતી.

આ ઘટના ત્યારે બની જ્યારે પૂજારીઓનું એક જૂથ ઉદયપુરના જમજુરી વિસ્તારમાં રાજનગર ખાતે દેબના ઘરે પહોંચ્યું હતું. બુધવારે તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે પૂજારી દેબના ઘરે યજ્ઞ કરવા આવ્યા હતા. અહેવાલો અનુસાર, બદમાશોએ પૂજારીઓ પર હુમલો કર્યો અને વાહનોની તોડફોડ કરી. આજુબાજુના લોકો અને સ્થાનિક લોકોએ પૂજારીને બચાવ્યા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા.

આ ઘટનાનો સ્થાનિક લોકોએ વિરોધ શરૂ કર્યો હતો. લોકોએ હુમલાખોરોની દુકાનોમાં તોડફોડ કરી હતી. આ પછી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપ-વિભાગીય પોલીસ અધિકારી નિરુપમ દેબબર્મા અને અધિક પોલીસ અધિક્ષક દેબાંજના રોય પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પુણ્યતિથિના એક દિવસ પહેલા પૂર્વ સીએમના પૈતૃક ઘર પર થયેલા હુમલાને સીપીએમનું ષડયંત્ર ગણાવવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાકરાબનના ધારાસભ્ય રતન ચક્રવર્તીએ મંગળવારે હુમલાખોરો સાથે મુલાકાત કરી હતી.

Tags:    

Similar News