મણિપુરમાં ગોળીબાર: કુકી અને મેઈતેઈ જૂથો વચ્ચે ફાયરિંગ, જાનહાની નહીં
મંગળવારના રોજ મણિપુરના લુવાંગસનોલ સેકમાઈમાં કુકી અને મેઈતેઈ જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો.
મંગળવારના રોજ મણિપુરના લુવાંગસનોલ સેકમાઈમાં કુકી અને મેઈતેઈ જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. 19 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન ઈનર મણિપુર લોકસભા સીટ પર થયેલા ફાયરિંગ બાદ મણિપુરમાં ફાયરિંગની આ પહેલી ઘટના છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે ગોળીબારના કારણે આસપાસના ગામોના લોકો પરેશાન જોવા મળ્યા હતા.આદિજાતિ એકતા પરની સમિતિ (CoTU) એ મેઇતેઇ જૂથ અને અરામબાઈ ટંગોલ દ્વારા કુકી-જો પરના હુમલા તરીકે તેની નિંદા કરી છે. સીઓટીયુના મીડિયા સેલના સંયોજક લુન કિપગેને જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન અરામબાઈ ટંગોલ અને મેઈતેઈના આતંકવાદીઓએ ખલેલ પહોંચાડી હતી. હવે આ જૂથોએ તેમની છબી સુધારવા માટે ફાયલાંગ-લુવાંગસાંગોલ ગામમાં કુકી-જો પર હુમલો કર્યો છે.