IPL-11નો આજ થી પ્રારંભ : મુંબઈ અને ચેન્નાઇ વચ્ચે પ્રથમ મુકાબલો 

Update: 2018-04-07 04:02 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી-૨૦ની ૧૧મી સિઝનનો આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ધમાકેદાર પ્રારંભ થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન અને કમબેક કરી રહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજથી પ્રથમ મુકાબલો ખેલાશે, જે અગાઉ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ આઇપીએલ-૧૧નો રંગારંગ ઉદ્ઘાટન સમારંભ યોજાશે.

દુનિયાભરના ક્રિકેટ ચાહકો રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈની અને ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સના મુકાબલાનો આતુરતાથી ઈંતજાર કરી રહ્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

 

Similar News