વાલિયા : ચમારીયા ગામના દંપતીએ ઘર કંકાસમાં ઝેરી દવા ગટગટાવી, પતિનું મોત

વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત નીપજયું હતું.

Update: 2024-05-08 07:40 GMT

વાલિયા તાલુકાનાં વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત નીપજયું હતું.

વાલિયા તાલુકાનાં વટારીયા-સેંગપુર જવાના માર્ગ પર ખુલ્લા ખેતરમાં રાત્રિના સમયે ઘર કંકાસમાં નારાજ થઈને આવેલ દંપતીએ ઝેરી દવા પી લેતા પતિનું મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો મુજબ વાલિયા તાલુકાનાં ચમારિયા ગામના રાજપૂત ફળિયામાં રહેતા જીતેન્દ્રસિંહ હરિસિંહ બોરસિયાના સંબંધી 59 વર્ષીય વિજયસિંહ બોરસિયા અને તેઓના પત્ની ગીતા બોરસિયા સાથે તેઓના પરિવાજનો વચ્ચે કોઈક બાબતે ઝઘડો થતાં દંપતીને લાગી આવતા તેઓ રાતે ઘરેથી નીકળી ગયા હતા અને વાલિયા તાલુકાનાં વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં આવી ત્યાં દંપતીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવ અંગેની જાણ જીતેન્દ્રસિંહને થતાં તેઓએ ભાઈ-ભાભીને તાત્કાલિક સારવાર માટે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે ખડેસવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન વિજયસિંહ બોરસિયાનું મોત નીપજયું હતું જ્યારે પત્નીની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુત્ર અને પુત્રવધૂ દ્વારા અવાર નવાર મારઝૂડ કરી વૃધ્ધ દંપતીને ત્રાસ આપવામાં આવતો હોવાનું ગામમાં ચર્ચાઇ રહ્યું છે.બનાવ અંગે વાલિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News