જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર

Update: 2020-07-13 07:03 GMT

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ શરૂ થઈ છે. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આત. આ અંગને જાણકારી ખુદ કાશ્મીર પોલીસ ઝોને આપી છે.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરમાં દરરોજ કોઈના કોઈ વિસ્તારમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થતી જ રહેતી હોય છે, ત્યારે આ અગાઉ પણ બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં રવિવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ આતંકીને ઠાર મારાયા હતાં.

આજની અથડામણ અંગે વાત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષાબળોને સોપોરમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની બાતમી મળી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં મધ્યરાત્રીએ ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.

Similar News