ખેડા : ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કોંગ્રેસે ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી

Update: 2021-01-30 07:41 GMT

ખેડા જીલ્લાના નડીઆદમાં શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી પુણ્યતિથિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સંસ્મરણ કરાયા હતા.

આજે ગાંધી શહીદ દિવસ નિમિત્તે દેશભરમાં ગાંધીજીને યાદ કરી ઠેરઠેર પુણ્યતિથિ મનાવવામાં આવી રહી છે. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા હતા. ખેડા સત્યાગ્રહને લઈને ગાંધીજીની ખેડા સાથે આઝાદી પૂર્વેની યાદો સંકળાયેલી છે. જો કે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ગાંધી પ્રતિમાને પુષ્પાર્પણ કર્યા બાદ કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, આવનારી નડીઆદ નગરપાલિકાની ચૂંટણીમાં પરીવર્તનની લહેર જોવા મળશે પણ જો જનતા અમારો સાથ આપે તો.? પ્રમુખ દ્વારા કોંગ્રેસ એકજુથ હોવાનો પણ સૂર આલાપવામાં આવ્યો હતો. પુષ્પાંજલીના કાર્યક્રમમાં કોંગ્રેસ આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News