અંકલેશ્વર: સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના 8માં પાટોત્સવની ઉજવણી, શોશ્યલ ડિસ્ટન્સ સાથે ગણેશ યાગ અને મહામારતી યોજાઇ

Update: 2021-01-20 08:38 GMT

અંકલેશ્વરના સુપ્રસિધ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના આઠમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે યોજાયેલ ગણેશ યાગ અને મહાઆરતીનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વર હાસોટ રોડ સ્થિત પૌરાણિક રામકુંડ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના આઠમાં પાટોત્સવની મંગળવારના રોજ ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવની આરાધના કરવામાં આવી હતી.તો રાત્રિના સમયે મહારતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિક ભક્તોએ જોડાઈ ધન્યતા અનુભવી હતી.કોરોના મહામારીના પગલે પ્રતિવર્ષ યોજાતા ભંડારો અને ડાયરાનો કાર્યક્રમ રદ્દ રાખવામા આવ્યો હતો.

Tags:    

Similar News