માતા અને પુત્રી ટ્રેનમાં હૈદરાબાદ જવા નીકળ્યાં, વાંચો તેમની સાથે શું બન્યું

Update: 2020-03-14 12:03 GMT

રાજસ્થાનના

પાલીથી હૈદરાબાદ જતી રણકપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી માતા અને પુત્રી ગુમ થયા હોવાની

ફરિયાદ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

પોલીસ

સુત્રિય માહિતી અનુસાર  મુળ

રાજસ્થાનના બૈરા ખોકરીયા ખુશાલપુરામાં રહેતા રાજુરામ નૈનારામ સિરવી તારીખ 13મીના રોજ તેમના પત્ની લલીતા ઉર્ફે

લીલાઅને ૨ વર્ષીય પુત્રી ગુંજન સાથે પાલીથી હૈદરાબાદ જતી રણકપુર એક્ષપ્રેસ

ટ્રેનમાં હૈદરાબાદ જતા હતા. દરમિયાન સવારે ૪.૨૦ વાગે આ ટ્રેન ભરૂચ રેલ્વે

પ્લેટફોર્મ નંબર ૪ પર ઉભી રહેતા જનરલ ડબ્બામાં પતિ રાજુરામને  શૌચાલય જવાનું કહી પુત્રી ગુંજન સાથે

સ્ટેશન ઉપર ઉતર્યા હતા.જે ટ્રેન શરૂ થતાં પણ પરત ન ફરતા પતિ રાજુરામે તેમની શોધખોળ

આરંભી હતી. પત્ની અને પુત્રી નહિ મળી આવતાં તેમણે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં

ફરિયાદ નોંધાવી છે. પોલીસે લાપત્તા બનેલી માતા અને પુત્રીને શોધી કાઢવા ચક્રો

ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News