વાયુ વાવાઝુડાની અસર આમતો દક્ષિણ ગુજરાતમાં ઓછી થવાની શક્યતાઓ છે પરંતુ સુરત વલસાડ અને નવસારી ના દરિયાઈ વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયો છે જેમાં નવસારી જિલ્લાના ૫૨ કિલોમીટર દરિયા ના ૨૪ ગામોને એલર્ટ કરાયા છે જેમાં સૌથી વધુ અસર જલાલપોર તાલુકામા આવેલ બોરસી માછીવાડ ગામને જે મોટી ભરતીમાં ગામોમાં દરિયાના પાણી ભરાઈ જતા મુશ્કેલીઓ વધારી રહ્યા છે ત્યારે આજે વાયુ વાવાઝોડું ત્રાટકશે તો શું દશા થશે જે ચર્ચા નો વિષય બન્યો છે જોકે સરક્ષણ દીવાલ બનાવવામાં આવી છે પણ દરિયાના તોફાની મોજાને કાબુમાં લાવી શકી નથી.