ઇરાનમાં ફસાયેલાં 233 જેટલા નાગરિકોને લઇ વિશેષ જહાજ પોરબંદર ખાતે લાંગર્યું હતું. પરત ફરેલા તમામ 233 માછીમારોને હવે સાત દિવસ સુધી કવોરન્ટાઇનમાં રહેવું પડશે.
કોરોના વાયરસના કહેર વચ્ચે વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારત સરકાર તરફથી વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. ખાસ વિમાન તથા જહાજો મારફતે તેમને ભારતમાં પરત લવાઇ રહયાં છે. ઇરાનથી એક વિશેષ જહાજ પોરબંદર ખાતે આવી પહોંચ્યું હતું. જેમાં 233 જેટલા ભારતીય માછીમારો સવાર હતાં. માછીમારોને સાત દિવસ સુધી કવોરન્ટાઇન રાખવામાં આવશે. તેમના આરોગ્યની પુરતી ચકાસણી બાદ તેમને પોત પોતાના વતનમાં જવા દેવાશે.