21 જેટલા ખાદ્ય સ્ટોલ માંથી 151 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો
રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના ખાનગી મેળામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="64864,64865,64866,64867"]
જેમાં 31 ખાદ્ય સ્ટોલ પર ચેકીંગ કરતાં 21 જેટલા ખાદ્ય સ્ટોલ માંથી 151 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો. ટીમ દ્વારા રોયલ મેલા, ન્યુ જન્માષ્ટમી મેલા, ન્યુ રિયલ જન્માષ્ટમી મેળામાં ચેકીંગ હાથ ધરાયુ.