સુરત ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વિશાળ રેલી નીકળી હતી. જેમાં સુરત સહિત જિલ્લાના હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રેલીમાં જોડાયા હતા.
પર્યાવરણ અને જીવ સૃષ્ટિ ને બચાવવાના આયોજન સાથે નીકળેલ આ રેલી સુરત ખાતે માન દરવાજા થી મજુરાગેટ થઈ સુરત કલેક્ટર કચરીએ જઇ એક આવેદનપત્ર આપશે ત્યારબાદ મહાસભામાં પરિવર્તિત થશે.