સુરત : દિલ્હીમાં ડંકો વગાડયાં બાદ હવે AAPની નજર ગુજરાત પર, જુઓ શું છે યોજના
દીલ્હીની
ગાદી મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં ચાલુ વર્ષે યોજાનારી સ્થાનિક
સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં ઝંપલાવવાની તૈયારી કરી રહી છે.
અરવિંદ
કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ દીલ્હી વિધાનસભાની ચુંટણીમાં ભવ્ય વિજય
મેળવ્યો છે. દિલ્હીની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આપ સમગ્ર દેશમાં પગ પેસારો કરવાની
યોજના પર કામ કરી રહી છે. ગુજરાતમાં આગામી દીવસોમાં નગર પાલિકા, મહા નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોની
ચુંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી તેમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવા સજજ
બની છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ કિશોર દેસાઇએ સુરત ખાતે આગામી રણનિતિ વિશે
માહિતી આપી હતી.