સુરત સરથાણા અગ્નિકાંડ ઘટના અંગે સ્થાનિકોએ આપ્યું કલેક્ટરને આવેદન

Update: 2019-05-27 09:43 GMT

સુરત વરાછા વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનાવવા ની માંગ સાથે જ જીઈબી અધિકારી અને બિનઅધિકૃત બાંધકામની પરમિશન આપનાર પાલિકાના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરી સજા આપવા માંગ કરી હતી.

સુરત સરથાણા અગ્નિકાંડ ઘટનાને લઈ સરથાણા વિસ્તારના સ્થાનિકોનું કલેક્ટરને આવેદન પત્ર આપી ફાયર સ્ટેશન બનાવવા માંગ કરવામાં આવી હતી. સુરત સરકાર અગ્નિકાંડ ઘટનાને લઈ આજરોજ સરથાણા વિસ્તારના સ્થાનિક રહીશો નાના બાળકો હાથમાં બેનરો લઈને કલેકટર ઓફિસ પહોંચ્યા તેવો દ્વારા વરાછા વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનાવવા માંગ કરવામાં આવી હતી.

સાથે જ જીઈબી અધિકારી અને બિનઅધિકૃત બાંધકામની પરમિશન આપનાર પાલિકાના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરી સજા આપવા આવે કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી હતી.

Similar News