સુરત : વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય સંકલ્પ પર્વ યોજાશે, રાષ્ટ્રીય અધ્યક્ષ સુશીલ ઓઝાએ બેઠક યોજી...

તા. 10 મેથી 12 મેના રોજ તુલસી પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Update: 2024-04-15 13:00 GMT

વિપ્ર ફાઉન્ડેશન-ગુજરાત દ્વારા ત્રિદિવસીય સંકલ્પ પર્વના આયોજનના ભાગરૂપે સુરતના વેસુ વિસ્તાર સ્થિત એક્સટેન્શન ખાતે મેગા મેરેજ હોલમાં વિપ્ર ફાઉન્ડેશનના સભ્યોની બેઠક મળી હતી. જેમાં આગામી તા. 10 મેથી 12 મેના રોજ તુલસી પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વિપ્ર ફાઉન્ડેશન-ગુજારાતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં સમાજના ખ્યાતનામ લોકોનું સન્માન કરવામાં આવનાર છે. ગત તા. 14 એપ્રિલના રોજ સુરત ખાતે મળેલી બેઠકમાં સમાજ નીતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિપ્ર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુશીલ ઓઝાએ વિશેષ ઉપસ્થિત રહી સમાજના લોકોને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે સુરત વિપ્ર ફાઉન્ડેશનના પદાધિકારીઓ ઘનશ્યામજી, તુલસીરામજી, મીઠાલાલજી, રામઅવતારજી પારીખ, ગીરીશ ત્રિવેદી તેમજ ભરૂચ, અંકલેશ્વર, વાપી, અમદાવાદ સહિત ગુજરાતના અન્ય જિલ્લાના વિપ્ર ફાઉન્ડેશનના પદાધિકારીઓ અને સભ્યોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને બનાવ્યો હતો.

Tags:    

Similar News