સુરત : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કીમમાં સભા ગજવી, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર...

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સભા ગજવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Update: 2022-11-27 09:50 GMT

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સભા ગજવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર-પ્રસારમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જ્યારે દરેક પાર્ટીના નેતા પોતાની પાર્ટીની જીત માટે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે, ત્યારે સુરતના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જંગી સભા ગજવી હતી. શંકરસિંહ વાઘેલાએ ઓલપાડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ સાથે જ કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકને જંગી મતોથી જીતાડવા શંકરસિંહ વાઘેલાએ લોકોને આહવાન પણ કર્યું હતું. સભા દરમ્યાન શંકરસિંહ વાઘેલાએ વાક પ્રહારો કરી ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. તો બીજી તરફ, માલધારી અને કોળી સમાજના 50થી વધુ આગેવાનોએ શંકરસિંહ વાઘેલાના હસ્તે કોંગ્રેસ ખેસ ધારણ કર્યો હતો.

Tags:    

Similar News