અંકલેશ્વર જીઆઇડીસી ખાતે નક્સલી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પતા યુવાનો

Update: 2017-05-08 10:12 GMT

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્ક ખાતે છત્તીસગઢમાં નક્સલી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા તેમજ યુથ ફોર યુવા ગૃપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

યુવાનો દ્વારા કેન્ડલ પ્રગટાવીને વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પીને તેઓના પરિવારને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સુરેશ પટેલ, અલ્પેશ પટેલ, તેમજ યુથ ફોર યુવા ગૃપના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Similar News