અલ્પેશ કથીરિયાના જામિન રદ્દ થતા પાસ નેતા હાર્દિક પટેલે કર્યા પોલીસ પર આકરા પ્રહાર

Update: 2019-01-16 06:07 GMT

સુરત કોર્ટે પાસના નેતા અલ્પેશ કથીરિયાને આપવામા આવેલ શરતી જામિન રદ કર્યા છે. તો સાથે જ ઉપલી કોર્ટમા અપીલમા જવા માટે ૧૫ દિવસનો સમય પણ આપ્યો છે.

આ અંગે રાજકોટમા પાસના નેતા હાર્દિક પટેલ દ્વારા પ્રેસ કોનફરન્સ કરવામા આવી હતી. જે પ્રેસ કોન્ફરન્સની અંદર હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે સુરતમા જે ઘટના ઘટી છે તેમા પોલીસનુ એકશન અને આંદોલનકારીનુ રીએકશન હતુ. તો આગામી સમયમા અલ્પેશ કથીરિયા મામલે સારો વકીલ રાખી ઉપલી કોર્ટમાથી કાયમી જામિન મેળવીને રહીશુ. પ્રેસ કોન્ફરન્સમા હાર્દિકે પોલીસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે અલ્પેશે ગાળો બોલી ત્યારે જોગાનુ જોગ કેમેરો હતો. પરંતુ પોલીસ તો રેગ્યુલર ગાળો બોલે છે અને દારૂ પીને લોકો સાથે મારામારી પણ કરે છે.

 

Similar News