ક્રિકેટર રોહિત શર્માએ કોરોના વાઇરસ સામે લડવા 80 લાખનું કર્યું દાન

Update: 2020-04-01 04:43 GMT

ક્રિકેટર રોહિત શર્માએ કોરોનાવાઇરસ સામે લડવા માટે 80 લાખ રૂપિયાનું દાન કર્યું . રોહિતે 80 લાખમાંથી 45 લાખ રૂપિયા PM-CARES ફંડ (પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ), 25 લાખ રૂપિયા મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડ અને 5-5 લાખ રૂપિયા ફિડિંગ ઇન્ડિયા અને વેલ્ફેર ઓફ સ્ટ્રીટ ડોગની સંસ્થાને આપ્યા છે.

રોહિતે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, આપણી જરૂરત

છે કે આપણો દેશ ફરીથી પોતાના પગ પર ઉભો થાય. મેં મારુ કર્તવ્ય નિભાવતા PM-CARES ફંડમાં 45 લાખ, મહારાષ્ટ્ર

સીએમ રિલીફ ફંડમાં 25 લાખ અને  5-5 લાખ રૂપિયા ફિડિંગ ઇન્ડિયા અને વેલ્ફેર

ઓફ સ્ટ્રીટ ડોગની સંસ્થાને ડોનેટ કર્યા છે. 

Tags:    

Similar News