ઉદયપુર પાસે બસ પલટી ખાતા 9 મુસાફરોના મોત, 22 ઘાયલ

Update: 2017-07-22 11:18 GMT

અમદાવાદ થી હરિદ્વાર જતી એક બસ ઉદયપુર પાસે પલટી મારી જતા 6 મહિલાઓ સહિત 9 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા.

અમદાવાદ થી હરિદ્વાર જતી બસ મુસાફરોને લઈને શનિવારનાં રોજ સવારે ઉદયપુર માંથી પસાર થઇ રહી હતી, તે દરમિયાન બસ ચાલક એક બાઈક બચાવવા જતા બસના ડ્રાઇવરનો સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો અને બસ પલટી મારી ગઈ હતી.

સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બસમાં સવાર અમદાવાદની 6 મહિલાઓ, કર્ણાટકના બે પુરુષ અને એક સ્થાનિક મુસાફર મળીને 9 લોકોનાં કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે બસમાં સવાર 22 મુસાફરોને નાનીમોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.

 

Similar News