અંકલેશ્વર : પુનગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવા જવું મોંઘું પડ્યું, ગ્રામજનો અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા..!

તાલુકાના પુનગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

Update: 2024-05-02 07:51 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પુનગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં હાલ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના નવા પુનગામ ગામ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો પ્રચાર કરવા પહોચ્યા હતા, જ્યાં પ્રચાર દરમિયાન કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પુનગામમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા પહોચેલા ભાજપના કાર્યકરોને ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પુનગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચતા જ ગ્રામજનોએ વિવિધ પડતર પ્રશ્ને ભાજપના કાર્યકરોને અટકાવી ઉગ્ર બોલાચાલી કરી રોષ ઠાલવ્યો હતો. એટલું જ નહીં, ગામના મતદારો ભાજપના કાર્યકરોને ગામની બહાર મુકી આવ્યા હતા, ત્યારે હાલ તો સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Tags:    

Similar News