કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર અને પક્ષના વ્હીપનો અનાદર કરનાર આઠ ધારાસભ્યોને બરતરફ કર્યા હતા. અને તમામ વિરુદ્ધ શિક્ષાત્મક સજા ફટકારી છે.
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષનાં વ્હીપનાં વિરોધમાં જઈને ક્રોસ વોટિંગ કર્યુ હતુ, તેથી કોંગ્રેસે તમામ બળવાખોર ધારાસભ્યો શંકરસિંહ વાઘેલા, તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, ભોળાભાઈ ગોહિલ, સી.કે. રાઉલજી, અમિત ચૌધરી, કરમશી પટેલ, અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે જનપ્રતિનિધિ એક્ટ હેઠળ છ વર્ષ સુધી કોઈ પણ ચૂંટણી નહિ લડી શકે તેવા પગલા લીધા છે.