ગુલબર્ગ હત્યાકાંડ ચુકાદાની પ્રતિક્રિયા આપતા વીએચપીનાં રાષ્ટ્રીય મહામંત્રી
અમદાવાદ ગુલબર્ગ હત્યાકાંડમાં આવેલા કોર્ટનાં ચુકાદાની પ્રતિક્રિયા આપતા વિશ્વ હિન્દુ પરિષદનાં રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈને ભરૂચમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આ ઘટનામાં જે લોકોને કોર્ટે હજી આરોપી દોષિત કર્યા છે. પરંતુ સજા જાહેર થઈ નથી અને જે લોકોને સજા થઈ છે તેમની સાથે અમે ઉભા છે અને ઉચ્ચ ન્યાયાલય સુધી કેસ લઈ જઈશુ અને અમને વિશ્વાસ છે કે તમામ નિર્દોષ છુટીને ઘરે પરત ફરશે.