બીજેપી નેતા જગત પ્રકાશ નડ્ડાને ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર થયા છે. નડ્ડા નિર્વિરોધ ચૂંટાયા છે, નામની જાહેરાત થયા બાદ અમિત શાહે તેમને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુ જેપી નડ્ડાને ચૂંટણી મેનેજર અને રણનીતિમાં માહિર માનવામાં આવે છે.
નડ્ડા મોદી સરકારના સ્વાસ્થ્ય જેવા મહત્વના મંત્રાલયો પણ સફળતાપૂર્વક સંભાળી ચૂક્યા છે. સરકારી યોજનાની સફળતા પાછળ પણ જેપી નડ્ડાનો હાથ હોય છે.