જાણો ગુજરાત ભાજપનાં ક્યા ધારાસભ્યએ નગર પાલિકાનાં પ્રમુખને ગણાવ્યા માનસિક રોગી

Update: 2017-12-27 11:27 GMT

ભરૂચમાં હાલમાં સોશિયલ મિડીયા પર એક મેસેજ વાયરલ થયો છે, જેમાં નગર પાલિકાનાં પ્રમુખ આર.વી.પટેલે ધારાસભ્ય દુષ્યંત પટેલ સામે નારાજગી વ્યક્ત કરી હોવાનું દર્શવવામાં આવ્યું છે. જે અંગે ધારાસભ્ય દુષ્યંત પટેલે જિલ્લા તેમજ પ્રદેશ સંગઠનમાં ફરિયાદ કરતા રાજકારણ ગરમાયુ છે.

ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલે મિડીયા સાથેની વાતચીતમાં નગર પાલિકાનાં પ્રમુખ માનસિક રીતે બીમાર હોય અને તેઓની મગજની વિકૃતિઓ સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી રહ્યા હોવાનાં આક્ષેપો કર્યા હતા, વધુમાં દુષ્યંત પટેલે ભાજપનાં જિલ્લા અને પ્રદેશ સંગઠનમાં આ અંગે ફરિયાદ કરી હોવાનું પણ જણાવ્યુ હતુ.

જોકે નગર પાલિકાનાં પ્રમુખ આર.વી.પટેલે આ અંગે કોઈ પણ જાતની પ્રતિક્રિયા મિડીયાને આપી નહોતી.

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દુષ્યંત પટેલની જિલ્લા અને પ્રદેશ સંગઠનમાં વિવાદિત પોસ્ટ અંગેની ફરિયાદ બાદ નગર પાલિકા પ્રમુખ સામે સંગઠન શું એક્શન લેશે તે તો આવનાર સમય જ બતાવશે.

 

Similar News