જેતપુરના ખોડલધામ ખાતે રવિવારે આઠમના દિવસે ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાયો

Update: 2019-05-12 16:34 GMT

લેઉઆ પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમા ‘માં ખોડલ’ના ધામ ખોડલધામ ખાતે સૈ કોઇ ‘માં ખોડિયાર’ના ચરણોમાં શીશ ઝુકાવી પોતાની મનોકામના પૂર્ણ કરી આસ્થા સાથે દર્શન કરે છે, ત્યારે જેતપુરના લાખાણી પરિવાર દ્વારા આજરોજ વૈશાખ શુદ આઠમના દિવસે માં ખોડલના નિજ મંદિરે ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હજારો દર્શનાર્થીઓ જાડાયા હતા.

કોઇપણ સમાજના લોકોના તેમના પરિવારમાં સંતાન પ્રાપ્તી થાય તે માટે કુટુંબીજનો સગાવ્હાલાઓને મોં મીઠું કરવાની પરંપરા આદિકાળથી ચાલી આવી છે. ત્યારે લાખાણી પરિવારના રાકેશભાઇ લાખાણીને ત્યાં પુત્ર રત્ન ‘પંથ’ના જન્મની ખુશી કંઇક અલગ કરવાનું વિચારી તેમના પરિવાર સાથે વાતચીત કરતા પરિવારના મોભી પ્રવિણભાઇ લાખાણી તેમજ નાના ભાઇ તુષારભાઇ લાખાણીએ ખોડલધામ ધ્વજારોહણમાં ભારે આસ્થાભેર ઉજવણી કરવાનું સુચન કરતા આજે માતાજીના ચરણોમાં વંદન કરી તમામ મનોકામના પૂર્ણ થઇ હતી.

જ્યારે આ કાર્યક્રમમાં ભાજપના પ્રશાંતભાઇ કોરાટ, દિનેશભાઇ ભુવા સહિતના અનેક રાજકીય- સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ સગા, સ્નેહી, મીત્રોની વિશાળ હાજરીમાં પ્રસાદ લઇ કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો.

Similar News