સરથાણા જકાતનાકા ખાતે તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 23 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે। ઘટનાના અનેક સ્વરૂપ જોવા મળી રહ્યાં છે.
ત્યારે તક્ષશિલા આર્કેડની સામે લાગેલા એક સીસીટીવીમાં કોમ્પ્લેક્ષની મીટર પેટીમાં ઓવરલોડ થતાં ભડકેલી આગના દ્વશ્યો જોવા મળ્યા છે. આ આગના કારણે બિલ્ડિંગ લપેટમાં આવી ગયું હતું અને ફસાયેલા બાળકો જીવ બચાવવા માટે નીચે કૂદવા માંડ્યા હતાં.