પર્વાધિરાજ પર્યુષણ પર્વ નો મંગલ પ્રારંભ

Update: 2016-08-29 12:36 GMT

જૈન સમુદાય ના પવિત્ર પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વ નો પ્રારંભ થતા જૈન શ્રાવકો ભક્તિના રંગમાં તરબોળ બન્યા છે.

શ્રી પર્યુષણ પર્વ ની ઉજવણી માં પ્રભુ મહાવીર સ્વામી ને સુંદર આંગી થી શણગાર કરવામાં આવ્યો છે,અને જૈન દેરાસરો ને રોશની ના ઝગમગાહટ સાથે શણગારવામાં આવ્યા છે.આઠ આઠ દિવસ સુધી જપ તપની આરાધના કરી જૈનો પોતાના મન વચન અને કાયા ના દોષોરૂપી ભૂલોની માફી માંગી ખમાવશે.

પર્યુષણ પર્વ નિમિતે જીનાલયો માં વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવશે,આ ઉપરાંત મહારાજ સાહેબ દ્વારા ત્રિશલા નંદન વીર મહાવીર પ્રભુ ના જન્મ વાંચન સહિત ના ધર્મભીના પ્રસંગો પર પ્રવચન પણ આપવામાં આવશે.

 

Tags:    

Similar News