ફરહાને ફિલ્મ રીલિઝ માટે પાંચ કરોડ ચૂકવવાનો કર્યો ઇનકાર

Update: 2016-10-30 04:39 GMT

અમદાવાદના બુટલેગર લતીફના જીવન પર આધારિત ફિલ્મ 'રઇસ'ના પ્રોડ્યુસર ફરહાન અખ્તરે ફિલ્મની રીલીઝ માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને પાંચ કરોડ રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો.

ફરહાને જણાવ્યું હતું કે ફિલ્મ રીલિઝ કરવા માટે હપ્તો ચૂકવવો પડે તે બાબત ઘણી જ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. 26 જાન્યુઆરી, 2017માં રીલિઝ થનાર ફિલ્મ 'રઇસ'માં શાહરૂખ ખાન સાથે પાકિસ્તાનની અભિનેત્રી માહિરા ખાન પણ ચમકી રહી હોવાથી ફિલ્મની રીલિઝ અંગે વિવાદ ચાલી રહ્યો છે.

ફરહાન અખ્તરને જ્યારે પુછવામાં આવ્યું કે તેઓ પણ કરણ જોહરની જેમ પોતાની ફિલ્મ 'રઇસ'ની રીલિઝ માટે સૈન્યના ફંડમાં પાંચ કરોડ જમા કરાવશે. ફરહાને તેનો નિખાલસતા અને મક્કમતાથી જવાબ આપતા જણાવ્યું હતું કે તેઓ ક્યારેય ફિલ્મ રીલિઝ કરવા માટે પૈસા ચૂકવશે નહી.

'રઇસ'માં શાહરૂખ ખાન, માહિરા અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકારો કામ કરી રહ્યા છે. ફિલ્મમાં ફરહાન અખ્તરે પણ મહત્વનો રોલ ભજવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

'એ દિલ હૈં મુશ્કિલ'ની જેમ આ ફિલ્મમાં પણ પાકિસ્તાની કલાકાર હોવાથી વિવાદ શરૂ થયો છે. મનસે દ્વારા ફિલ્મની રીલિઝ અંગે ધમકી પણ આપવામાં આવી છે.

Similar News