ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતા લોકોને ચૂંટણીલક્ષી જરૂરી માહિતી અને મદદ મળી રહે તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા કલેકટર સંદિપ સાંગલેનાં અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતુ, આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી સંદિપ સાંગલેએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જિલ્લામાં આચારસંહિતા સંદર્ભે કડક અમલ કરવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણીમાં EVM સાથે VVPAT મશીનનો પણ ઉપયોગ કરવામાં આવશે તેથી તેનાં થી માહિતગાર કરવા માટે મતદારોનાં ઘરે ઘરે પેમ્પફ્લેટ પહોંચાડવામાં આવશે.