ભરૂચમાં ટેમ્પો ઉથલી પડતા ચારને ઇજા

Update: 2017-10-07 12:13 GMT

ભરૂચનાં સ્વામિનારાયણ મંદિર નજીક નેશનલ હાઇવે પર અંકલેશ્વર થી વડોદરા તરફ જતા ટેમ્પોનું અચાનક ટાયર ફાટતા ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. અને સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.

બનાવ અંગે સ્થાનિક વાહન ચાલકોએ 108 ઇમરજન્સી સેવાને જાણ કરતા 108 એમ્બ્યુલન્સની મદદ થી ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ની જાણ થતા ભરૂચ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ વાહન વ્યવહાર ફરી શરુ કરાવ્યો હતો.

Tags:    

Similar News