બાળકોએ વિવિધ કૃતિઓ રજુ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા.
ભરૂચ શહેરની કલરવ સ્કુલનાં દિવ્યાંગ બાળકોનો ૨૪મો વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચની રૂંગટા સ્કુલનાં સંસ્કાર ભારતી હોલમાં તા – ૩જીના રોજ કલરવ શાળામાં અભ્યાસ કરતા માનસિક વિકલાંગ બાળકોએ વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી ને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.