ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લુ, સારવાર માટે એઇમ્સમાં દાખલ કરાયા

Update: 2019-01-16 16:58 GMT

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય અમિતભાઈ શાહને સ્વાઇન ફ્લુ ડિટેક્ટ થયો છે અને તેઓ હાલ દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)માં દાખલ થયા છે. આ માહિતી તેમણે જાતે પોતાના ટ્વિટર હેન્ડલ પર થોડી ક્ષણો પહેલા જ શેર કરી હતી.

તેમણે ટ્વિટ કરતાં કહ્યું હતું કે, મને સ્વાઇન ફ્લુ થયો છે અને સારવાર ચાલી રહી છે. ઇશ્વરની કૃપાથી, તમારા બધાના પ્રેમથી અને શુભકામનાઓથી ઝડપથી સ્વસ્થ થઈ જઈશ, તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમિતભાઈ હાલમાં જ અમદાવાદ આવ્યા હતા. તેમણે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ પણ લીધા હતા

Similar News