ભાવનગર: પરમવીર ચક્ર દ્વારા સન્માનિત યોગેન્દ્ર સિંહ યાદવ ઉપસ્થિતિમાં વિજય દિવસની કરાઇ ઉજવણી
ગત તારીખ ૧૬ ડીસેમ્બર ભાવનગર એસ પી કચેરી ખાતે વિજય
દિવસ ની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ભાવનગર પોલીસ મહા અધિકક્ષક જયપાલસિંહ
રાઠોડ પરમવીર ચક્ર થી સન્માનિત યોગેન્દ્રસિંહ યાદવ વિકાસ પરિષદના પ્રમુખ અને માજી
સૈનિક એન.કે. શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર હલુરીયા ચોક ખાતે
આવેલ શહીદ સ્મારક શહીદને પુષ્પાંજલી અર્પણ કરી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
હતું. જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી તેમજ જન વિકાસ પરિષદ દ્વારા અખો દીવસ
દેશભક્તિના વિવિધ કાર્યોક્રમો યોજાયા હતા.