યુદ્ધ ઇચ્છનારાઓ ને સીમા પર ઉભા કરી દો : સલમાન ખાન

Update: 2017-06-15 11:03 GMT

બોલીવુડના અભિનેતા સલમાનખાને જણાવ્યું હતુ કે જેઓ જંગ યુદ્ધ ઇચ્છે છે, તેઓને સીમા ઉપર ઉભા કરી દેવા જોઈએ.

બે દેશો વચ્ચે થનાર યુદ્ધ બાબતે વાત કરતા જણાવ્યું હતુ કે તે પ્રકારનું યુદ્ધ યોગ્ય નથી. સલમાન ખાને ખુબજ નીડરતાથી જવાબ આપતા જણાવ્યું હતું કે જ્યારે પણ જંગ થાય છે તો બંને તરફના લોકો મરે છે . અને તેનું નુકસાન તેમના પરિવારે ભોગવવું પડે છે.

જવાનોના પરિવારે જવાનો વિના જીવવું પડે છે.જે લોકો જંગ કરવા માટે આદેશ આપે છે તેમને સામે ઉભા કરી દેવા જોઈએ અને કહેવું જોઈએ કે આપ લડો,પછી જુઓ એક દિવસમાં જંગ સમાપ્ત થઇ જશે.

 

Similar News